ડીસા આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવમાં વધારાને લઇને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Share

કેન્દ્ર સરકાર દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ રાસાયણિક ખાતરનો ભાવ 50 ટકાથી 60 ટકા જેટલો વધારો કરવામાં આવેલ છે. ડી.એ.પી ખાતરના 1200 રૂપિયાથી વધારે 1900 રૂપિયા થવાના હતા અને એન.પી.કે ખાતર 1185 રૂપિયા વધારીને 1800 રૂપિયા થવાના હતા એ.એસ.પી ખાતરના 975 રૂપિયાથી વધારીને 1350 થવાના હતા.

એ પણ વધારાનો ખેડૂતો અને ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા સખ્ત વિરોધ કરાયો હતો જ્યારે સરકાર દ્વારા ખેડુત સંગઠનો અને રાજકીય પક્ષોના વિરોધને ધ્યાનમાં રાખીને 9 એપ્રીલ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવ વધારોનો બોજો ખેડુતો પર નહી પડવા દેવાય અને સરકાર દ્વારા સબસિડીની રકમ વધારીને સરભર કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે સરકાર દ્વારા ફરીથી અચાનક ખાતરમાં ભાવોમાં વધારો કરતાં ખેડુતોની કમર તોડી નાખી છે જેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી આજે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક અસરથી ખાતરના ભાવમાં વધારાને પરત લેવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

જો સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવમાં વધારાને પરત ખેંચવા માટે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પ્રદેશ કક્ષાનાં આગેવાનો સહીત ડીસા શહેરનાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહીત મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share