પાલનપુરમાં બાયપાસ મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ

Share

 

પાલનપુર એરોમા સર્કલ પરનું ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે જીલ્લાકક્ષાથી મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરાઇ હતી. જેનું સુખદ પરિણામ મળ્યું છે. જ્યાં સરકારે પાલનપુર નજીક 25 કિલોમીટરના બાયપાસને સૈધ્ધાંતિક મંજૂરીની મ્હોર મારી છે.

 

બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીકળી ચડોતર થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે. જેનાથી ભારે વાહનો બારોબાર નીકળતાં ટ્રાફીકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

 

આ અંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ‘શહેરનો વિકાસ થાય તે માટે નિર્ણય લઇ બાયપાસને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

 

જમીન સંપાદન માટે રૂ. 80 કરોડ અને બાયપાસનો માર્ગ બનાવવા માટે રૂ. 300 કરોડ ફાળવ્યા છે. આ બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીકળી ચડોતર થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે.’

 

પાલનપુર એરોમા સર્કલે રૂ. 140 કરોડનો ફ્લાય ઓવરબ્રિજ અને રૂ. 380 કરોડના ખર્ચે દરખાસ્ત કરાયેલા બાયપાસને પણ અગ્રતા આપવા અગાઉ રજૂઆતો કરાઇ હતી. જેમાં 25 કિલોમીટરનો બાયપાસ અંદાજીત રૂ. 380 કરોડના ખર્ચે આકાર પામશે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share