થરાદ તાલુકાના ચાર ગામના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેકટર કચેરીએ : રસ્તો અને નાળા મુકવાની માંગને લઇ કરાઇ રજૂઆત

Share

થરાદ ખાતે આવેલ ભરત માળા રોડ પર રોડ અને નાળાને લઈને ચાર ગામના ખેડૂતો થરાદ નાયબ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જો તાત્કાલિક ધોરણે નિર્ણય નહીં લેવાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ કલેકટર ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા થરાદ તાલુકાના ચાર ગામના ખેડૂતો ભારત માળા રોડના વિવાદને લઈને થરાદ નાયબ કલેકટર ખાતે પહોચ્યા હતા.

જ્યા ખેડૂતોએ રસ્તા અને નાળા મુકવાની માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પહોંચેલા ખેડૂતોએ નાયબ કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા માટે રજૂઆત કરી હતી અને જો તત્કાલ ધોરણે નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

From – Banaskantha Update


Share