પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ

Share

 

બનાસકાંઠા જીલ્લામાં આંગણવાડી કાર્યકરોની વિવિધ પડતર પ્રશ્નોને લઇ અનેકવાર સરકારમાં રજૂઆત કરાઇ હતી. પરંતુ આજદિન સુધી કોઇ નિરાકરણ ન આવતાં આખરે આંગણવાડી કાર્યકરો સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસવા જઇ રહી હતી. તે દરમિયાન પાલનપુર પશ્ચિમ પોલીસ આંગણવાડી કાર્યકરોની અટકાયત કરાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં આંગણવાડી કાર્યકરોની અનેક પડતર પ્રશ્નોને લઇને અનેકવાર સરકારમાં રજૂઆત કરાઇ છે. પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે આખરે આંગણવાડી કાર્યકરો સોમવારે ગાંધીનગરમાં આવેલ સત્યાગ્રહ છાવણી આંગણવાડી કાર્યકરો દ્વારા ધરણાં યોજાવાના હતા.

 

જેને લઇ પાલનપુરથી આંગણવાડી કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઇ ગાંધીનગર નીકળે તે પહેલાં જ પાલનપુર પશ્ચિમ પોલીસે 25 જેટલી આંગણવાડી કાર્યકરોની અટકાયત કરી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લવાઇ હતી. આંગણવાડી કાર્યકરોની અટકાયત કરતાં આંગણવાડી કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share