અમીરગઢમાં પાણીના નાળામાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર

Share

અમીરગઢના સોનાવડીમાં પાણીના નાળામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ છે. ઈશવાનીથી સોનાવડી થઈને કપાસિયા રોડને જોડાતા માર્ગ પર સોનાવડી ગામમાં બનાવેલી લઘુ સિંચાઈના ડેમ પાસે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની અંદરના ભાગે એક યુવકની લાશ મળી આવી હતી. જેને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ બાબતે પોલીસને જાણ કરતા અમીરગઢ પી એસ આઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીમાંથી લાશને બહાર કઢાવી હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.

અમીરગઢ PSI ઝાલાએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ થયા બાદ યુવકના મોતનું રહસ્ય જાણી શકાશે. અમીરગઢ પોલીસે એડી દાખલ કરી આગળની કાર્યવાહી માટેના ચક્રો ગતિમાંન કર્યા છે.

 

From – Banaskantha Update


Share