ડીસાના બગીચા વિસ્તારમાં આવેલ સાંઇબાબા મંદિરમાં કથાના મુખ્ય યજમાન સ્વ. ખેતુ રૂપાજી પરમાર (માળી) અને સ્વ. આસીબેન ગીરધારજી પરમાર (માળી)ના સ્મરણાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાયું છે.
જેમાં કથાના વક્તા પ.પૂ.આચાર્ય સુરેશભાઇ કાન્તીલાલ રાવલ (કલ્યાણપુરા-સાંતલપુર) (શુર્કલયર્જુવેદ), વિશારદ, એમ.એ.બી.એ. સંસ્કૃત-સોલા ભાગવતના મુખેથી ભાવિક ભક્તોને બપોરે 2:00થી 6:00 દરમિયાન રસપાન કરાવી રહ્યા છે. જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો ધન્યતા અનુભવી રહ્યા છે.
જોકે, ખેતુ માળીનું આકસ્મિક નિધનથી પરિવારમાં એકના એક લાડકવાયા પુત્રની ખોટ પડી રહી છે. ત્યારે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાતાં ભાવિક ભક્તોએ તેમના સદ્દગતની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
From – Banaskantha Update