પાલનપુરમાં હડકાયા શ્વાનનો આતંક : 20 થી વધુ લોકોને ઘાયલ કર્યાં

Share

 

પાલનપુરના રેલ્વ સ્ટેશન વિસ્તારમાં બુધવારે રાત્રિ દરમિયાન હડકાયા શ્વાને એક સાથે 20 થી વધુ લોકોને બચકાં ભરી ઘાયલ કરતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. જ્યારે 20 થી લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે નવિન ટ્રેકની કામગીરીના અધિકારીને પણ હડકાયા શ્વાને બચકાં ભરી ઘાયલ કર્યાં હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બુધવારે રાત્રિ દરમિયાન હડકાયા શ્વાને એક સાથે 20 થી વધુ લોકોને બચકાં ભરી ઘાયલ કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં હડકાયા શ્વાને આતંક મચાવતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

 

 

જ્યારે બુધવારે રાત્રે 1:00 વાગ્યાના સુમારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 20 થી વધુ લોકોએ પ્રાથમિક સારવાર લીધી હતી. જ્યારે રેલ્વે સ્ટેશન બહાર ચાલી રહેલા નવિન ટ્રેકની કામગીરીના અધિકારીને પણ હડકાયા શ્વાને બચકાં ભરી ઘાયલ કર્યાં હતા.

 

જ્યારે રાત્રિ દરમિયાન કામ કરી રહેલા શ્રમિકો પણ ભયના માહોલમાં છવાઇ ગયા હતા. જ્યારે પાલનપુરમાં અવાર-નવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share