પાલનપુરના ભુતેડીમાં તસ્કરોએ બંદ મકાનને બનાવ્યું નિશાન : 70 હઝારની કરી ચોરી

Share

પાલનપુરના ભુતેડી ગામ ખાતે ગઈકાલે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશી 70 હજાર ઉપરાંતના રૂપિયાની ચોરી કરી પલાયન થઈ જતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો હવે શહેર બાદ ગ્રામીણ વિસ્તારમાં તરખરાટ મચાવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારમાં એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે પાલનપુર ખાતે આવેલ ભુતેડી વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા પોપટલાલ મોદી લગ્ન પ્રસંગે ઘર બંધ કરી ગયા હતા.

તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનનું તાળુ તોડી ઘરમાં પડેલ તિજોરીનો લોક તોડી તિજોરીમાં પડેલ 70 હજાર રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ચોરીની જાણ ઘર માલિક પોપટલાલ મોદીને થતા પાલનપુર તાલુકા પોલીસને જાણ કરાઈ હતી પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share