ડીસા તાલુકાના માલગઢ ગામના હનુમાનનગર વિસ્તારમાં આવેલ દિનેશભાઇ નારણજી ગેલોત (માળી) (ભુવાજી) ના નિવાસસ્થાનેથી શનિવારે વાજતે-ગાજતે સોનાણા ખેતલાજી મહારાજના મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે માલગઢથી રાજસ્થાન સોનાણા ખેતલાજી મહારાજના પગપાળા યાત્રા સંઘનું આયોજન કરાયું હતું.
જેમાં માલગઢ ગામના ધર્મપ્રેમી જનતા અને ખેતલાજી મહારાજના ભાવિક ભક્તો પગપાળા યાત્રા સંઘમાં જોડાયા હતા.
જે સંઘનું દર વર્ષની જેમ આ વર્ષે પગપાળા યાત્રા સંઘ ભાવિક ભક્તો સાથે મળીને ખેતલાજી મહારાજની જય બોલાવીને શોભાયાત્રા નીકાળીને પ્રસ્થાન કરાયું હતું. જેમાં ડી.જે.ના તાલ સાથે વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી.
From – Banaskantha Update