કાંકરેજના શિરવાડા પાસે વાછરડાની હત્યા કરતાં ચકચાર

Share

કાંકરેજ તાલુકાના શિરવાડાથી નાથપુરા જતાં માર્ગ ઉપર અજાણ્યા શખ્સોએ દેશી ગાયના વાછરડાની હત્યા કરી હતી. આ અંગે જીવદયાપ્રેમીએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના શિરવાડાથી નાથપુરા જતાં માર્ગ ઉપર કોઇ અજાણ્યા શખ્સે દેશી ગાયના કાળા રંગના વાછરડાનો એક પગ કાપી નાંખી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેને જીવદયાપ્રેમીઓ શિરવાડાના દિનેશભાઇ ભુદરભાઇ જોષી, કુલભાઇ રધુભાઇ જોષી, બળદેવભાઇ પ્રભુરામભાઇ, રધુભાઇ હરિભાઇ સહીત ગૌભક્તો સ્થળ ઉપર ગયા હતા.

advt

 

જ્યાંથી વાછરડાને પાટણના અનાવાડાની હરી ઓમ ગૌશાળામાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે દિનેશભાઇએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share