પાલનપુર સીમલા ગેટ નજીક પોલીસ ટ્રાફીક ખુલ્લું કરાવતી વખતે લારીના વેપારીઓ સાથે બોલાચાલી થતાં લારીવાળી મહીલાને પોલીસે માર માર્યાંના મહીલાના દીકરાએ આક્ષેપ કર્યાં હતા. જેને સિમલા ચોકી આગળ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
[google_ad]
ગુરૂવારે સાંજે સીમલા ગેટ નજીક શાકભાજીની લારીઓ હટાવતી વખતે પોલીસ અને લારીઓના વેપારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઇ હતી. જે બાદ કોઇ પોલીસ કર્મી મહીલાને માર માર્યાનો મહીલાના દીકરા અનિલે આક્ષેપ કર્યો હતો.
[google_ad]
જેને લઇ સીમલા ગેટ નજીક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પોલીસે કોઇને માર્યાં નથી. પોલીસ ટ્રાફીક હટાવવાની કામગીરી કરી હતી. જેને લઇ લારીઓના વેપારીઓ અડચણ થતાં કાર્યવાહી કરી હતી.’
[google_ad]
From-Banaskantha update