ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા હવામાન વિભાગની આગાહીના પગલે વિનંતી કરાઈ

Share

બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોને કમોસમી માવઠાની આગાહીને લઇ ખેત ઉત્પાદનને નુકસાન ન પહોંચે તે માટે સાવચેત રહેવા વિનંતી કરાઇ હતી.

[google_ad]

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં તા. 17 નવેમ્બરથી લઇ તા. 20 નવેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી છે.

[google_ad]

advt

 

જેથી બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને બુધવારથી લઈ શનિવાર સુધી કમોસમી માવઠાની આગાહીને લઈ ખેડૂતોને ઉત્પાદનને નુકસાન ના થાય તે માટે સાચવી રાખવા માટે તેમજ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન ઢાંકીને લાવવા વિનંતી કરાઇ હતી.

From – Banaskantha Update


Share