શહેરના મુખ્ય માર્ગો પર હાલમાં દિવાળીની ખરીદી માટે ભારે ભીડ રહે છે. તેવામાં છાશવારે રીક્ષાઓ બંધ પડતાં વારંવાર ટ્રાફીક જામ થાય છે. કિલોમીટર પૂરા થઈ ગયેલી રિક્ષા રેલ્વે ઓવરબ્રિજ પર અવારનવાર ખોટવાઈ જાય છે. જેના લીધે આવી રીક્ષાઓ પુલ પરથી પસાર ના કરવા ટ્રાફીક કર્મચારીઓએ તાકીદ કરી છે.
[google_ad]
પાલનપુરમાં 5 હજારથી વધુ રીક્ષાઓ ફરી રહી છે. શહેરમાં ફરતાં અવકાશી નજારા માત્ર પીળા હુડ દેખાય છે. શહેરમાં રોજ રોજ નવી રીક્ષાઓ ઉમેરાય છે. ઉપરાંત તાલુકાના 30 વધુ ગામો શહેરથી કનેક્ટ હોવાથી રીક્ષાઓ દ્વારા અવર-જવર પણ રહે છે.
[google_ad]

શહેરમાં હાલમાં તમામ માર્ગો ઉપર ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે તેવામાં સૌથી વધુ ભીડ પાલનપુર રેલ્વે ઓવરબ્રિજ પર રહે છે. જ્યાં બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી અવાર-નવાર ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે.
[google_ad]
અધૂરામાં પૂરું શહેરના અમીર રોડ ચાર રસ્તાથી લઇ ગઠામણ દરવાજાના માર્ગ પર પણ ટ્રાફીક જામના લીધે વાહન વ્યવહાર અટવાઈ જાય છે.
From – Banaskantha Update