દિવાળીના પર્વે માતા-પિતાની અજાણથી ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઇ જતાં મોતને ભેટ્યો

Share

દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે માતા-પિતા પોતાના બાળકોને વિવિધ પ્રકારના ફટાકડા લઈ આપે છે અને બાળકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ કેટલાક માતા-પિતા પોતાના બાળકોને ફટાકડા આપીને એકલા મૂકી દેતા હોય અને ક્યારેક ગંભીર દુર્ઘટનાનો ભોગ પણ બનતા હોય છે. આવી જ માતા-પિતાની આંખ ઉઘાડતી એક ઘટના સુરતમાં બની હતી. સુરતના ડિંડોલીમાં ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું હતું. જેના પગલે બાળક ગંભીર રીતે બીમાર પડ્યું હતું. ઝાડા ઊલટીમાંથી ફટાકડા નીકળતાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું હતું. જ્યાં ડોક્ટરોએ મૃતજાહેર કર્યું હતું.

[google_ad]

માતા-પિતાની સાવધાન કરાવતા આ કિસ્સા અંગે વાત કરીએ તો સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડાં લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે તેવા પોપ અપ લાવ્યા બાદ ઘરે મૂક્યાં હતાં. જો કે, બાદમાં એ ફટાકડાં ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય તેમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારૂં ન થયું. પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-અપ ફટાકડા નીકળ્યાં બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરી ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગૃત રહેવા અપીલ કરી હતી.

[google_ad]

 

સુરતના નવાગામ ડિંડોલીમાં એક માસુમની ઝાડા-ઊલટીમાં ફટાકડાના પૉપોપ નીકળ્યા બાદ સિવિલ લઈ આવતા મૃત જાહેર કર્યા બાદ ડોક્ટરો પણ આશ્ચર્ય મા પડી ગયા છે. જોકે મૃત્યુનું સાચું કારણ જાણવા ડોક્ટરોએ મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી પોલીસને જાણ કરી છે. સુથાર કામ સાથે સંકળાયેલા બિહારવાસી રાજ શર્માએ જણાવ્યું હતું કે, 1 તારીખે જ બાળકો માટે ફટાકડાના પૉપોપ લઈ આવ્યો હતો. જોકે ક્યારે માસુમ બાળક ખાઈ ગયો એની ખબર નથી. ખૂબ જ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા બાદ લોકોએ જાગૃત રહેવા ડોક્ટરો સંદેશો આપી રહ્યો છે.

[google_ad]

રાજ શર્માએ જણાવ્યું હતું કે, સાહેબ 8 મહિના પહેલા જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શોર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 24 કલાકથી અચાનક બીમાર પડેલા માસુમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતાં. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડ બાદ અચાનક ઉલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયાં હતાં. જેમાં આજે સવારે ઉલ્ટીમાં ફટાકડાના પૉપોપ નીકળતા પત્ની અંજલી ચોકી ગઈ હતી.

[google_ad]

બસ મળસ્કે દીકરાની પૉપોપ વાળી ઉલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતા અમે અહીંયા આવ્યા હતા. જ્યાં માસુમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શુ કારણ હશે.. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું.

[google_ad]

સંબંધીઓ એ જણાવ્યું હતું કે, સાહેબ પોસ્ટ મોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતા કોઈએ જોયું નથી. પણ ઉલટી થયા બાદ ફટાકડા (પૉપોપ) માતાએ જોયું છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરા ની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં શોર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે, મૃત્યુ નું કારણ શું છે. પોસ્ટ મોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે. પણ કોઈ સાંભળતું જ નથી.

[google_ad]

advt

ફટાકડાની અવનવી વેરાઈટીઓમાં સાવ નાના બાળકો માટે પોપ-અપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે. પોપ-અપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે. જે ફેંકતા જ જમીન કે દિવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-અપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.

 

From – Banaskantha Update


Share