દિયોદરના સુરાણા નજીક શ્વાનને બચાવવા જતાં કાર પલ્ટી ખાઇ જતાં વૃદ્ધાનું મોત

Share

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના સુરાણા ગામમાં સોમવારે શ્વાન આડે આવી જતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. શ્વાનને બચાવવા જતાં ફંગોળાયેલી કારમાં બેઠેલા 60 વર્ષિય વૃદ્ધ મહીલાને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજયું હતું. જ્યારે આ બનાવના પગલે આજુબાજુના લોકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

[google_ad]

દિયોદર તાલુકાના સુરાણા ગામ નજીક સોમવારે કાર નં. GJ-08-BH-3309 નો અકસ્માત સર્જાયો હતો. દિયોદર એક પરિવાર કાર લઈને સુરાણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રસ્તામાં શ્વાન આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

advt

શ્વાનને બચાવવા જતાં ફંગોળાયેલી કારમાં બેઠેલા 60 વર્ષિય વૃદ્ધ મહીલાને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજયું હતું. આ બનાવના પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update.


Share