કાંકરેજ તાલુકાની ખારીયા નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલના સાઇફનમાં ગુરૂવારે યુવક-યુવતીના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં થરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે બંને યુવક-યુવતી કાંકરેજના અરડુવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે થરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાની ખારીયા નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલના સાઇફનમાં ગુરૂવારે કાંકરેજના અરડુવાડા ગામના બંને યુવક-યુવતીના મૃતદેહો તરીને બહાર આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં થરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી.
[google_ad]
જ્યારે બંને યુવક-યુવતીના મૃતદેહોને બહાર કાઢી પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બંને યુવક-યુવતીએ ક્યા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. બંને યુવક-યુવતીના મોતથી પરિવારજનોમાં કાલીમા પ્રસરી ગઇ છે અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે થરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update