ડીસામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા 15માં પરીનિર્વાણ દિવસે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

Share

બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા એડવોકેટ પી.આર.સોલંકી જીલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષતામાં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક માન્યવર કાંશીરામના 15 માં પરીનિર્વાણ દિવસે શ્રદ્ધાજલી કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્ટેટના પદાઅધિકારી ભાઈલાલ પાંડવ, સચિવ ગુજરાત અને પ્રદીપભાઈ પરમાર ઉત્તર ગુજરાત જોન કોડીનેટર હાજર હતા.બનાસકાંઠા જીલ્લાના તમામ હોદેદારો અને તમામ વિધાનસભા હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

[google_ad]

આ અંગે એડવોકેટ પી.આર.સોલંકીએ જણાવ્યું હતું કે, માન્યવર કાશીરામે ઓ.બી.સી. માટે મંડલ લાગુ કરાવ્યું હતું. તેમાં 27 ટકા અનામત મળ્યું હતું. તે ઓ.બી.સી. વર્ગને જયારે જાણ થશે તે દિવસ બહુજન સમાજ પાર્ટી સતા હાંસીલ કરશે.

 

From – Banaskantha Update


Share