થરાદ : યુપીના લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચલાવવાના બનાવને લઈને ધારાસભ્ય મારફત કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો

Share

યુપીના લખીમપુર ખાતે ખેડૂતો પર ગાડી ચલાવવાની બનાવને લઈ થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે અને કોંગ્રેસ કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યોજી સરકાર વિરુદ્ધમાં કાર્યક્રમ યોજાયો હતો. અને કિસાન આંદોલનમાં શહીદ થયેલાં ખેડૂતોને શ્રદ્ધાજંલિ આપી હતી.

[google_ad]

આ અંગે થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. તેમના પર કેન્દ્રના રાજ્ય પ્રધાનના દીકરા અને ભાજપના કાર્યકરો દ્વારા ગાડી ફેરવવામાં આવી હતી. જેથી ખેડૂતોના મોત થયા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ન્યાય મળે તેને લઈ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

[google_ad]

 

તેમજ ખેડૂતોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. આ ભાજપની સરકાર પોતાના દમ પર ખેડૂતોની જે હત્યા કરવામાં આવી છે એના વિરુદ્ધમાં બુધવારે થરાદમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ નીકાળીને ખેડૂતોને શ્રદ્વાજંલિ આપી સરકાર વિરુદ્ધમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update

 


Share