કારચાલકે બાઈકને અડફેટે લેતા બે બાઈકસવાર યુવકોના મોત

Share

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સારદારપુર-સિનાર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવકોના મોત નિપજ્યા. ગૌશાળામાં સેવા આપતા બંને યુવકોના મોતના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારના રોજ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળામાં સેવા આપતા પંચાલ બાબુભાઈ રામજીભાઈ અને સાધુ રાધેશ્યામ જમનાદાસ કોઈ કામ માટે બાઈક નં GJ-24-AL-8790 પર રાધનપુરના સરદારપુરા સિનાડ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલાં ગાડી નં. GJ-12-DA-5283ના ચાલકે ધડાકાભેર બાઈક સાથે પોતાની કાર અથડાવતાં બાઈક સવાર બંને વ્યક્તિ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

[google_ad]

આ અકસ્માતના બનાવની જાણ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળાના ગૌ સેવકોને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત બંને વાહનો રોડ પરથી દૂર કરી મૃતકોની લાશનું પંચનામુ કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share