પાલનપુર રેલ્વે સ્ટેશનની કેન્દ્રીય રેલ્વે મંત્રી મુલાકાતે આવતા સ્વાગત કરાયું : નવું બોગદુ પ્લેટફોર્મ બનાવવાની ચર્ચા-વિચારણા કરાઇ

Share

પાલનપુર રેલ્વે સ્ટેશનમાં કેન્દ્રીય મંત્રી આવવાના હોવાથી જનરલ મેનેજરે રવિવારે પાલનપુર આવી પ્લેટફોર્મનું ઇસ્પેકશન કર્યું હતું. જ્યાં રેલ્વે બહાર બનતું બોગદુ નાનું હોવાથી બીજુ એક બોગદુ બનાવવાની રજૂઆત કરવા માટે એક અરજદારને આવેદનપત્ર આપવા ત્રણ કલાક રાહ જોવી પડી હતી.

[google_ad]

 

રેલ્વે સ્ટેશનમાં રવિવારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાલનપુર તરફ આવવાના હોઇ જેને લઈ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે પાલનપુરની પ્લેટફોર્મનું ચકાસણી કરી ઇસ્પેકશન કર્યું હતું. જ્યાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત કરાયું હતું અને જનરલ મેનજરે તેમને વાપી તરફ આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ પાલનપુર રેલ્વે જંકશન અંડરપાસની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે.

[google_ad]

advt

 

ત્યાં મોટાભાગના મુસાફરો ત્યાંથી પસાર થઈને પ્લેટફોર્મ તરફ જતાં હોય છે. પરંતુ રેલ્વે જંકશન તરફ જવાના માર્ગનું બોગદુ નાનું બનાવી દેતાં મોટી મુશ્કેલી ઉભી થવા પામી છે. જેથી પાલનપુરના જાગૃત અરજદાર સરીફભાઈ ચશ્માવાલાએ રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં તેમણે આવેદનપત્ર આપવા માટે ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. જે બાદ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય નિર્ણય લેવાનું જનરલ મેનેજરે જણાવ્યું હતું.

[google_ad]

 

પાલનપુરમાં પશ્ચિમ રેલ્વે મથકના જનરલ મેનેજર આલોક કસલ અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલે પ્લેટફોર્મની ચર્ચા-વિચારણા કરી હતી અને કોઈ ડીફોલ્ટ હોય તો લાગતાં-વળગતાં અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

 

From – Banaskantha Update


Share