બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ચાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
[google_ad]
આ અકસ્માતની વિગત એવી છે કે, અમીરગઢ નેશનલ હાઇવે પર આરાસુરી ગોળાઇ નજીક રવિવારે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
[google_ad]
આ બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
From – Banaskantha Update