ડીસાના નવિન બસ સ્ટેશન ખાતે શુક્રવારે એસ.ટી વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે ઘંટનાદ તેમજ થાળી વગાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
[google_ad]
ગુજરાત એસ.ટી વિભાગના ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોના મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન આપતા એસ.ટી.વિભાગના કર્મચારીઓનું આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે.
[google_ad]
ત્યારે ડીસાના નવિન બસ સ્ટેન્ડ ખાતે શુક્રવારે એસટી વિભાગના ડ્રાઈવર-કન્ડક્ટર સહિતના કર્મચારીઓએ સરકારના બહેરા કાને રજૂઆત સંભળાય તે માટે ઘંટનાદ તેમજ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
[google_ad]
આ પ્રસંગે એસ.ટી વિભાગના ખોડાભાઇ ચૌધરી, રણજીતસિંહ હડીયોલ, કિરણભાઈ દવે, તલસિંહ વાઘેલા, રમેશભાઇ દેસાઇ, રાજુભાઇ પંડ્યા, રતિલાલ ચૌહાણ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update