દેશનું પ્રથમ ‘નિરોગી’ બનાસકાંઠાનું ગામ પીંપળી નળ, ગટર, રસ્તા અને સફાઈમાં અવ્વલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામજનો સાથે કાલે સીધો સંવાદ કરશે

Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. 2 ઓક્ટોબરથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે યોજાનારી ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. એ ગામના સરપંચ સહીત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરવાના હોવાથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને ગામમાં દિવાળી જેવો તહેવાર મનાવી રહ્યા છે. પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ ‘નિરોગી’ ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પીંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી. જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહીવત્ જેટલો છે.

[google_ad]

તા. 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે જીલ્લાભરમાં સફાઈ અભિયાન સહીત ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.

[google_ad]

વડાપ્રધાન સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને એનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજીત 2500 થી વધુની વસતી ધરાવતું આ પીંપળી ગામ સુંદર અને રળિયામણું છે. ગામના સરપંચ રમેશભાઈ પટેલે ગામને સ્વચ્છ સુંદર અને શિક્ષિત બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા છે.

[google_ad]

ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પીંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી. જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહીવત્ જેટલો છે અને એટલે જ કોરોના મહામારી વખતે આ ગામ કોરોનાથી મુક્ત થઈ શક્યું હતું. તમામ બાબતોને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. પીંપળી ગામની પસંદગી થતાં જ અત્યારે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને સરપંચ-ગ્રામજનો ગ્રામસભા માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું વાત કરશે એને લઈને પણ લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે.

[google_ad]

આ અંગે પીંપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. 2 ઓક્ટોબરે અમારા ગામની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધા સંવાદ માટેની પસંદગી કરી છે. અમારા ગામમાં આંતરીક પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. અગાઉથી એ અમે જલ જીવન થકી વાસમો દ્વારા નવિન પાણી પાઇપલાઈનની વ્યવસ્થા કરી પાણીની સમસ્યામાંથી બહાર નીકળ્યા છીએ. 100 ટકા શૌચાલય યુક્ત અમારુ ગામ છે. વેસ્ટ પાણીનું ગટરલાઈન દ્વારા ગામ બહાર નિકાલ કરાય છે. જેથી સ્વચ્છ અને સુંદર અમારુ ગામ રહે છે. સફાઈ બાબતમાં અમે પૂર્ણ ધ્યાન રાખીએ છીએ. કચરો ન ભેગો થાય, ગંદકી ન ફેલાય આવા કારણોસર અમારા ગામની પસંદગી થઈ હોય એવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ થવાનો હોવાથી ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ. અમે અમારા ગામ માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.

[google_ad]

આ અંગે ગામના આગેવાન પરથીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 2 ઓક્ટોબરના દિવસે પીંપળી ગામની અંદર વિડીયો-કોન્ફરન્સથી સંવાદ કરશે. એ વિચારે અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. આજે અમારા ગામની અંદર સાફ-સફાઈ સારી કરી છે. સુંદર કામ કરેલું છે. ખરેખર અમારુ ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલેક્ટ કર્યું છે. મને ખૂબ જ ખુશીની લાગણી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરીએ ત્યારે તેઓ અમને શું કહેશે.

[google_ad]

advt

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તા. 2 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા ગામ પીંપળીના ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાના છે. એ માટે અમારા ગામની પસંદગી થઈ છે. અમે ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્યારે હાલ અમારી ગામની અંદર દિવાળી જેવો માહોલ છે. અત્યારે તમામ વ્યક્તિઓ હળીમળીને તા. 2 ઓક્ટોબરના સીધા સંવાદ કાર્યક્રમની તૈયારીઓ કરી રહી છે. વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાની જે તક મળી છે એ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ.

[google_ad]

 

અમારા ગામની અંદર નલ સે જલ યોજના અંતર્ગત તમામે તમામ કુટુંબોને સમયસર બે ટાઈમ પાણી મળે છે. આનાથી અમારા ગામની અંદર નલ સે જલ યોજના અંતર્ગત ઇલેક્ટ્રીક બીલમાં બચત થઈ છે. અગાઉના સમયની અંદર મોટર દ્વારા પાણી ખેંચવું પડતું હતું. જેને કારણે વીજ બીલ વધુ આવતું હતું. એ અત્યારે નલ સે જલ યોજનાને કારણે એમાં ખૂબ જ બચત થઈ છે. મારુ ગામ સંપૂર્ણ નિરોગી છે. વેક્સિનેશનમાં અગ્રેસર છે. સાથે સાથે મારા ગામની અંદર સંપૂર્ણપણે સ્વચ્છતા છે. કોઈપણ પાણીનો બગાડ થતો નથી.

From – Banaskantha Update


Share