થરાદ-વાવના ગોકુળનગરમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર

Share

થરાદ-વાવના ગોકુળનગરમાં બુધવારે પતિ-પત્નીએ અગમ્ય કારણોસર ખેતરમાં ઝાડ પર દોરડું બાંધી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં અગમ્ય કારણોસર પતિ-પત્નીએ જીવનલીલા સંકેલી લેતાં લોકોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ-વાવના ગોકુળનગરમાં બુધવારે પતિ-પત્નીએ અગમ્ય કારણોસર ખેતરમાં ઝાડ પર દોરડું બાંધી આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં પતિ-પત્નીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઇ લોકોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. જેમાં પતિ-પત્નીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઇ શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે.

[google_ad]

advt

પતિ-પત્નીએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તેને લઇ રહસ્યમય અકબંધ રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે પોલીસે બંનેની મૃતકોની લાશને નીચે ઉતારી પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડી છે. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share