પાલનપુર માલ ગોડાઉનમાં 1.91 કરોડનું કૌભાંડ આચરનાર મેનેજર-ઓડિટર ઝબ્બે

Share

પાલનપુર માલ ગોડાઉનમાં થયેલા રૂપિયા 1.91 કરોડના અનાજ કૌભાંડમાં ગોડાઉન મેનેજર, ઓડિટર અને ડિલેવરી કોન્ટ્રકાટર સામે જિલ્લા પુરવઠા અધિકારીએ 21 ફેબ્રુઆરીએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

[google_ad]

જેમાં ફરાર ગોડાઉન મેનેજર અને ઓડિટરને ડીસા ડીવાયએસપીએ 238 દિવસો બાદ દબોચી લીધા હતા. દરમિયાન તેઓ કયા સ્થળે રહ્યા, શુ કર્યુ સહિત કૌભાંડની વિગતો જાણવા ગોડાઉન મેનેજરને સોમવારે પાલનપુર એસીબી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જ્યારે ઓડિટરને કોર્ટમાં રજૂ કરાશે.

[google_ad]

માલ ગોડાઉનમાંથી જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખાનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે. જોકે, ગાંધીનગર વિઝીલન્સ દ્વારા ફેબ્રુઆરી 2021માં પાંચ દિવસની ઓચિંતી તપાસમાં અનાજના જથ્થામાં મોટી ઘટ હોવાનું બહાર આવ્યું હતુ. જેમાં ઇન્ચાર્જ મેનેજર નાગજીભાઇ પી. રોત તેમજ શકદાર ડોરસ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટર એમ. બી. ઠાકોર (ટ્રાન્સપોર્ટર) અને કિરણ એન્ડ પ્રદિપ એસોસિએટના પ્રતિનિધિ (સી.એ.) ડીસાના વિશાલ પંછીવાલા (ગોડાઉન રેકર્ડની ઓડિટ કરનાર)એ ભેગામળી ઘઉ તેમજ ચોખાનો રૂ. 1,91,83,690ના જથ્થાની ઘટ બતાવી એટલી રકમની ઉચાપત કરી હતી.

advt

[google_ad]

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ જીલુજી ચાવડાએ 21 ફેબ્રુઆરીની રાત્રે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ડીસા ડીવાયએસપી ડો. કુશલ આર. ઓઝાએ ફરાર ગોડાઉન મેનેજર નાગજી રોત અને ઓડિટર વિશાલ પંછીવાલાને ઝડપી લીધા હતા. આ અંગે ડીવાયએસપી ડો. કુશલ ઓઝાએ જણાવ્યું હતુ કે, તેઓ કયા સ્થળે રહ્યા, શું કર્યુ સહિત કૌભાંડની વિગતો જાણવા ગોડાઉન મેનેજરને સોમવારે પાલનપુર એસીબી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા.

 

From – Banaskantha Update


Share