બનાસકાંઠાના નેકરિયામાં નર્મદા કેનાલના પુલ પાસે વાહન ચાલકે બાઈકને મારી ટક્કર : એકનું મોત, એક ઘાયલ

Share

બનાસકાંઠામાં નેકારીયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કાંકરેજ તાલુકાના નેકારીયા ગામ પાસે આવેલી નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વ્યક્તિ બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

આ અકસ્માતમાં બાઈક સવાર રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક સવાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

 

 

આ બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે થરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share