દાંતા અંબાજીના ત્રિશુળીયા ઘાટ પહાડી વિસ્તારમાં શુક્રવારની મધ્યરાત્રીએ ભારે વરસાદ થતા પથ્થરની શીલા રોડ પર ધસી આવી હતી. રાત્રિના સમયે ભેખડ ધસી હોવાથી સદ્નસીબે જાનહાનિ ટળી હતી.
[google_ad]
ભેખડ ધસતા મોટી શીલા રોડ પર આવી ગઈ હોવાના સમાચાર તંત્રને મળતા જ વહીવટી તંત્રએ જેસીબી મશીન દ્વારા શીલા હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા અંબાજી ફોરલેન હાઇવે બનાવ્યા બાદ પહાડ તોડીને રસ્તો બનાવતા અનેક સ્થળોએ જોખમી સ્થિતિ સર્જાઈ છે. પહાડી વિસ્તારમાં ઢોળાવવાળી જગ્યા ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે.
From – Banaskantha Update