પાલનપુર કલેક્ટર કચેરી બહાર આંગણવાડી વર્કરો દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં હતાં. 16 જેટલા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધરણા યોજી આગામી સમયમાં પણ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
[google_ad]
બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતી બહેનો દ્વારા આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર તેમના 16 જેટલા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં.
[google_ad]
માનદ વેતન નહીં પણ વેતન આપી અમને કાયમી કરો, વધારાની કામગીરી બંધ કરો, કાર્યકર અંર તેડાગારને વર્ગ 3/4માં સમાવેશ કરી જેવા અનેક બેનરો સાથે ધારણા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.
[google_ad]
આ બાબતે આંગણવાડી વર્કરોના આગેવાન ચંપાબેને જણાવ્યુ હતુ કે, માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી હતી.
From – Banaskantha Update