દિયોદર સેસણ ગામના યુવાનની લાશ હરીપુરા ગામ પાસેથી મળી આવતાં ચકચાર

Share

દિયોદરના સેસણ ગામમાં રહેતા રમઝાન ખાન અકબરખાન બલોચ નામના યુવકની લાશ હરીપુરા ગામમાંથી મળી આવી. સેસણ ગામના યુવકની ગળે ટૂંપો ખાધેલી હાલતમાં લાશ હરિપુરા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દિયોદરના હરીપુરા ગામની સિમમાં એક લાશ લટકતી હોવાની જાણ દિયોદર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગળે ટૂંપો ખાધેલી હાલતમાં લટકતી લાશને નીચે ઉતારીને તપાસ કરતા ખીસ્સામાંથી મોબાઈલ, પાકીટ, આધાર કાર્ડ મળેલ આવ્યા.

[google_ad]

જેના આધારે મૃત્યુ પામનાર યુવાન દિયોદરના સેસણ ગામમાં રહેતો રમઝાનખાન અકબરખાન બલોચ હોવાનું બહાર આવતા પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી.

From – Banaskantha Update


Share