24 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશે : માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Share

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા. 24 સપ્ટેમ્બર-2021 ભાદરવા વદ-4 (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે 01:30 કલાકે શરૂ થશે.

 

File Photo

[google_ad]

જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-7:30થી 11:30, દર્શન બપોરે 12:30થી 01:00 તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 09:00 કલાકે રહેશે.

advt

[google_ad]

તા.25/09/2021થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી કરાઈ. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.

 

From – Banaskantha Update


Share