ભાભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે માનનીય શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન અનુસાર ભાભર તાલુકાના વજાપુર જુના ગામે ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા દ્વારા આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ભાભર તાલુકાના વજાપુર જુના ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આંખ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 210 થી વધુ દર્દીઓની તપાસ કરાઇ હતી.અને સાથે સાથે ગ્રામજનોને વૃક્ષનું મહત્વ વિશે મહાનુભાવો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મહામંત્રી માનજીભાઈ પટેલ , વાઘજીભાઈ દેસાઈ, મંત્રી દશરથભાઈ વ્યાસ વકીલ, યુવા મોરચાના મહામંત્રી શિવરામભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઇ ચૌધરી, ઈશ્વરભાઈ ઠાકોર, રામભાઈ દેસાઈ ડેલીગેટ, વિક્રમભાઈ દવે ભાજપના તમામ હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

[google_ad]

આ કેમ્પમાં ડૉ. હાર્દિકભાઈ રાવલ (રોશની હોસ્પિટલ ભાભર), માનસુંગભાઈ દેસાઈ અને જીગરભાઈ જોષી (રાજારામ હોસ્પિટલ ભાભર) વાળાઓએ તેમની સેવાઓ આપી હતી. ભાભર તાલુકા ભાજપ દ્વારા તા.17/9/2021 થી તા.7/10/2021 સુધી સેવા અને સમર્પણ કાર્યક્રમ દ્વારા તાલુકામાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહેલા છે. આ તમામ કાર્યક્રમોના ઇન્ચાર્જ તરીકે દશરથભાઈ વ્યાસ અને રણછોડભાઈ ચૌધરી દ્વારા ખૂબ જ પ્રયત્ન કરી અને કાર્યક્રમ સફળ થાય તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share