પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા, પલભરમાં 3 બાળકો બન્યા અનાથ : 20 વર્ષના લગ્નજીવનનો આવ્યો કરુણ અંત

Share

પાટણમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના ગળે છરી ફેરવી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

પાટણને જોડતા હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટના અંગે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં રહેતા કનુજી રઘુજી ઠાકોર અને તેમના પત્ની જયોત્સનાબેન કનુજી ઠાકોરનાં 20 વર્ષના લગ્નજીવનમાં થોડા સમય પહેલા કોઇ બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને લીધે પત્ની જ્યોત્સનાબેન તેમના બાળકો સાથે પીયરમાં રહેતી હતી.

[google_ad]

થોડા સમય પહેલા બાળકોને પીયરમાં મુકી પત્ની જયોત્સનાબેન પાટણ ખાતે આવ્યા હતા. પતિ કનુજી ઠાકોર પોતાના મગજનું સંતુલન ગુમાવી બેઠો હોય તેમ પત્નીની કરપીણ હત્યા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં કનુજી ઠાકોરે પોતે પણ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સુરમ્ય રેસીડેન્સીમાં ખેલાયેલા ખુની ખેલની ઘટનાની જાણ પાટણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

[google_ad]

ઘરકંકાસના કારણે પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લેતા બે દીકરીઓ અને એક દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

[google_ad]

મૃતક પરિણીતાના પિતા જીવનભાઈ જણાવ્યું હતું કે, અમે બધા લોકાચાર માટે ઘરેથી બહાર ગયા હતા. દીકરી ઘરે એકલી હતી તે સમય અમારા જમાઈ ઘરે આવી આ કૃત્ય કર્યું છે. અમને આ બાબતે ખબર ન હતી. જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા છેલ્લા 2 વર્ષથી મારી દીકરી પતિના ત્રાસથી કંટાળીને અમારા સાથે રહેતી હતી.

[google_ad]

પાટણ શહેર બી ડિવિઝન પી.આઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સવારે 10:00થી 11:00 વચ્ચે આ ઘટના બની હોય 12:30 આસપાસ ભત્રીજો ઘરે ટિફિન લેવા જતા જાણ થઈ હતી અને પરિવારને જાણ કરી હતી. તેમના દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘરના આંગણામાં બંનેના મૃતદેહો એકી સાથે પડ્યા હતા.

[google_ad]

મહિલાના ગળાના ભાગે ત્રિશુલ જેવી છરી જેવા હથિયારથી ઘા મારીને પત્નીની હત્યા કર્યા બાદ પોતે જાતે જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું જોવા મળ્યું હતું હાલ પરિવારના નિવેદન આધારે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share