પાલનપુરના એક ગામે પત્ની રિસાઇને પિયર જતા સગા પિતાએ પુત્રીને કૂવામાં ફેંકી દીધી

Share

અમીરગઢના થળા ગામના પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે ધાણધા જતી રહી હતી. જ્યા તેનો પતિ આવીને ‘મારી દિકરી આપી દે’ તેમ કહી 12 માસની બાળકીને લઇ નીકળી ગયો હતો. જે દિકરીને આ સગા પિતાએ નજીકમાં એક કૂવામાં ફેંકી દેતા ચકચાર મચી છે. બનાવ બાદ હાલમાં બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે હાલમાં સારવાર હેઠળ છે.

 

[google_ad]

અમીરગઢ તાલુકાના થળા ગામના રહેવાસી ઉર્મિલાબેન ચૌહાણ અને તેમના પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જ્યારે પણ પતિ પત્નિ વચ્ચે ઝઘડો થાય ત્યારે તેણીની રિસાઈને તેની બહેન અને બનેવીના ઘરે જતા રહેતા હતા.

[google_ad]

દરમિયાન શુક્રવારે પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા ઉર્મિલાબેન તેમની 12 માસની નાની દિકરીને લઇ તેમના બહેનના ઘરે ધાણધા મુકામે જતા રહ્યા હતા. જ્યાં તેણીનો પતિ રમેશભાઇ ધર્માભાઇ ચૌહાણ આવેલો અને કહેલ કે ‘મને મારી દિકરી આપી દે’ તેમ કહી નાની બાળકીને લઇને જતો રહ્યો હતો.

advt

[google_ad]

બાદમાં એકાદ કલાક પછી જાણવા મળેલ કે બાળકીને નજીકના કૂવામાં ફેંકી દેવાઈ છે. આથી બાળકીની માતા અને તેના બહેન બનેવી સહિત દોડી જઇ બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

 

From – Banaskantha Update


Share