દાંતીવાડામાં અભ્યાસ કરતી રિક્ષમાં સવાર બે છાત્રાઓને ઇકો ચાલકે ટક્કર મારતા એકનું મોત

Share

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બે છાત્રાઓનો વાઘરોલ નજીક અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બીજી છાત્રાને ઇજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ બાદ દાંતીવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advt

[google_ad]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બે છાત્રાઓ ગુરુવારે પાલનપુર અભ્યાસને લગતી ખરીદી કરવા ગઇ હતી. ત્યારે પરત રિક્ષા નંબર GJ-08-AV-4116માં સવાર થઇને સાંજે આવતી આ બંને છાત્રાને વાઘરોલ નજીક રસ્તામાં ઇકો કાર નંબર GJ-18-BM-7096 સાથે અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

જેમાં સતરૂપા બેરા નામની છાત્રાનું મોત થયું હતું અને જોલી નામની છાત્રાને સામાન્ય ઇજાઓ પહોંચતા 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મૃતક છાત્રાના મૃતદેહને સિવલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share