બનાસકાંઠા જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદ ખેંચાયો હતો પરંતુ ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ અને ગઈકાલે મોડી સાંજે ચાલુ થયેલા વરસાદના લીધે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ક્યાંકને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં ચાલુ થયેલા વરસાદે ઢોર ઢાંખરને નુકસાન પહોંચવા પામ્યું છે.
[google_ad]
ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા વડાવળ ગામમાં સવારના સુમારે અચાનક વીજળી એક ખેડૂતની ભેંસ ઉપર પડતા ભેંસનું મોત થયું છે ત્યારે ભોગ બનનાર ખેડૂત નાગજીભાઈ થોનાજી વાઘેલા પરિવાર આઘાતની લાગણી અનુભવી રહ્યા છે.
From – Banaskantha Update