બનાસકાંઠા 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 6 લોકોને આપધાત કરતાં બચાવાયા

Share

આપઘાત નિવારણ દિવસને લઇ બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર જીનલબેન પરમાર તેમજ પાલનપુરની આત્મહત્યાને કહો ના હેલ્પલાઇનના કાઉન્સેલર જયેશભાઇ સોનીએ યુવાપેઢીને સંદેશો આપતાં જણાવ્યું કે આપઘાત કરવો એ જીવનના દુ:ખદ પ્રશ્નનો ઉકેલ નથી. આવા સમયે પોતાનો, પરિવારજનો, સંતાનોનું પાછળથી શું થશે તેનો વિચાર કરવો જોઇએ. પોતાના અંગત પ્રશ્નો પણ ખાસ મિત્રો સાથે ચર્ચા કરી તેનું સમાધાન લાવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.

 

[google_ad]

આત્મહત્યા નિવારણ દિવસને લઇ પાલનપુરની ફાઇન આર્ટસ કોલેજમાં ડો. દેવેન્દ્ર ચૌધરીનું લેકચર યોજાયું હતુ. જેમાં આત્મહત્યા કરવા જતાં વ્યકિને કેવી રીતે ઓળખવો, રોકવા માટે કયા પગલાં લેવા, માણસને ડીપ્રેશનમાંથી કઇ રીતે બહાર લાવવા સમજણ આપી હતી.

[google_ad]

બનાસકાંઠામાં 6 વર્ષ અગાઉ 181 અભિયમની શરૂઆત કરવામાં આવી તેના બીજા જ દિવસે એક મહિલા પરિવારના ત્રાસથી પોતાના બાળકને લઇ આપઘાત કરવા જતાં બચાવી લેવાઈ હતી.

 

[google_ad]

ડીસાની એક મહિલા પાસેથી ચાર સંતાનો છીનવી લઇ પતિએ કપાઇ મરવાનું કહેતાં પરિણીતા ગોઢા રેલવે ફાટકે મરવા જતાં પહેલા બચાવી લેવાઈ હતી. દિયોદરની એક યુવતી પ્રેમ પ્રકરણમાં કેનાલમાં ઝંપલાવે એ પહેલા બચાવી હતી. પાલનપુરમાં માતા-પિતાએ ઠપકો આપતાં આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લેવાઇ હતી.

Advt

[google_ad]

બનાસકાંઠામાં એક મોટી કંપની ઉઠી જતાં ગ્રાહકોના કરોડો રૂપિયા સલવાયા છે. જ્યાં દાંતાના એજન્ટના ઘરે લોકો ઉઘરાણીએ આવતાં 60 વર્ષના વૃધ્ધે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. જોકે, આત્મહત્યાને કહો ના હેલ્પલાઇનને તેમને માર્ગદર્શન આપી બચાવી લીધા હતા. એવી જ રીતે પાલનપુરમાં પિતાએ અપાવેલો મોઘો ફોન બગડી જતાં પિતા મારશે તેવી બીકથી યુવક આપઘાત કરવા માટે જતો હતો. જેને પણ હેલ્પલાઇન દ્વારા તેના માતા-પિતા સાથે કાઉન્સેલિગ કરી બચાવી લેવાયો હતો.

 

From – Banaskantha Update


Share