દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ છે ‘કૌભાંડી’..? લોકાયુક્તમાં થઈ ફરિયાદ

Share

વિવાદોથી ઘેરાયેલી દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો આવશે. અનેક ખાતાકીય તપાસ અને ભ્રષ્ટાચારમાં ખદબદતા કૌભાંડી વૈજ્ઞાનિકને કુલપતિ તરીકે નિમણૂક આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે વારંવાર રજૂઆત બાદ પણ આ અંગે કાર્યવાહી ન થતાં હવે લોકોએ લોકાયુક્તમાં ફરિયાદ કરી છે.

[google_ad]

ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સીધી અથવા આડકતરી રીતે સંકળાયેલા છે જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતોના હિતની રક્ષા થાય, ખેડૂતને મુંજવતા પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ આવે, કૃષિલક્ષી નવા સંશોધન થાય અને એ સંશોધન થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવતા થાય તે માટે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી રચના કરવામાં આવી છે.

[google_ad]

પરંતુ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આ બાબતે સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે. તાજેતરમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો. રવિન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે જે નિમણૂકને લઇ વધુ એક વિવાદ શરૂ થઇ ગયો છે.

[google_ad]

આમ તો પોતાના ક્ષેત્રમાં અવલ, હોશિયાર અને ઇમાનદાર લોકોને બઢતી આપવાનો સરકારી નિયમ છે પરંતુ, અહીં તમામ નિયમોને અને કાયદાને નેવે મૂકી ગુજરાત સરકારે કૌભાંડી વૈજ્ઞાનિકને ડો. રવીન્દ્રસિંહ ચૌહાણની કુલપતિ તરીકે નિમણૂક કરી દીધી છે. ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ સામે અનેક ખાતાકીય તપાસ ચાલે છે.

[google_ad]

જેમાં હમણાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતિ આચરી સેટિંગ વાળા વિધાર્થીઓને પાસ કર્યા હોવાની ફરિયાદ થઈ છે, નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત બીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજુ કર્યું હતું તે પણ ખોટું સાબીત થયું છે. તેમજ ઉદયપુરની પીએચડીની ડીગ્રી પણ શંકાસ્પદ છે.

[google_ad]

આરોપ છે કે, આ સિવાય GTH-1 તુવેર સંશોધન ફેઈલ ગયું હતું, તેમાં પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હતી, 2013-14માં પણ ભરતી કૌભાંડ આચર્યું હતું તે સમયે પણ ભરતી કૌભાંડમાં અત્યારના કુલપતિ ડો. રવીન્દ્રસિંહનું નામ જોડાયેલું છે અને તેમાં પણ ભોગ બનનાર વાસુદેવ સિંધવ નામના વિદ્યાર્થીએ તેમની સામે ફરિયાદ કરી હતી આ સિવાય તેની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે તેમની ખોટી રીતે કુલપતિ તરીકે નિમણૂક આપતાં હવે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

 

[google_ad]

આ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો તેના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમના વિરુદ્ધ અનેક લોકોએ તેમજ કર્મચારીએ પણ લોકાયુક્તમાં ફરિયાદ કરી છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે, તેમ છતાં પણ સરકારે આ તમામ બાબતોને અવગણીને તેમને શા માટે કુલપતિ બનાવ્યા હશે તે પણ એક સવાલ થાય છે.

advt

[google_ad]

કારણ કે જ્યારે કુલપતિની નિમણૂક કરવાની હતી ત્યારે લિસ્ટમાં ત્રણ વ્યક્તિઓના નામ હતા અને બાકીના બે લોકો સામે એક પણ ફરિયાદ ન હોવા છતાં પણ શા માટે આ ભ્રષ્ટાચારીને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હશે તે મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી અરજદારની માંગ છે.

 

[google_ad]

ફરીયાદીનો આરોપ છે કે, તુવેર સંશોધનમાં અને 2013-14ની પરીક્ષા ગેરરીતિ મામલે કુલપતિ ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ સામે જે તપાસ ચાલતી હતી, તે આ બંને કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે, વળી આ તમામ બાબતો સરકાર જાણતી હોવા છતાં પણ તેમની કુલપતિ તરીકે નિમણૂક કરી દેતા આ કેસમાં સરકારની પણ મેલી મુરાદ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ જ્યારે આટલા કૌભાંડ આચરી શકતા હોય તો પછી હવે કુલપતિ બન્યા પછી કૌભાંડોની હારમાળા સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

 

 

From – Banaskantha Update


Share