રાજ્ય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેના સીધા નેતૃત્વમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોરોના નિયંત્રણ માટે સઘન રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
[google_ad]
જીલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોના પરીણામે કોરોના પ્રતિરોધક રસીકરણમાં બનાસકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. રસીકરણ અભિયાનને વેગ આપવા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે કોરોના રસીકરણના જૂદા-જૂદા કેન્દ્રોની જાતે મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓને હૂંફ પુરી પાડી રહ્યા છે.
[google_ad]
જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ બુધવારે પાલનપુર તાલુકાના રતનપુર ગામ અને કે. મા. ચોક્સી શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
[google_ad]
રતનપુર ગામમાં વિવિધ મહોલ્લાઓમાં જઇ લોકોને સમજાવી રસી મૂકાવવા તેમણે ભારપૂર્વક અપિલ કરી હતી.
[google_ad]
તેમની અપિલના પગલે રતનપુર ગામમાં ઘણા યુવાનો અને મહીલાઓએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી. તેમ બનાસકાંઠા જીલ્લા એપડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. એન.કે.ગર્ગે જણાવ્યું છે.
From – Banaskantha Update