પાલનપુર નગરપાલિકાના વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર કચેરીએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું

Share

પાલનપુર નગરપાલિકા વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બુધવારે પાલનપુર કલેકટર કચેરીની બહાર ધરણા પ્રદશન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા વેરામાં કરેલ વધારાને લઈ તેના વિરોધમાં પાલનપુરની જનતા સહી અભિયાન પણ કર્યું હતું.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના દ્વારા બુધવારે કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદશન કર્યું હતું અને સૂત્રોચાર કર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આગાઉ નગરપાલિકામાં વેરા ઘટાડાને લઈ આવેદનપત્ર આપી 15 દિવસમાં વેરો ઘટાડવામાં નહીં આવે તો ધારણા પ્રદશન કરી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે, આ મામલે કોઇ પગલાં ન ભરાતાં જીલ્લા કલેક્ટર કચેરીની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદશન કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

Advt

આ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકરે જણાવ્યું હતું કે, તા.12 ઓગસ્ટના રોજ પાલનપુર નગરપાલિકામાં આવક વેરો વધારવામાં આવ્યો હતો અને ઘટાડવા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, 15 દિવસમાં જો વેરો ઘટાડવામાં નહીં આવે તો ધરણા કરાશે. જેથી બુધવારે પાલનપુર કલેકટરની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ધરણા આંદોલન રાખેલ છે. નગરપાલિકાને કહેવા આવે છે એની સામે સફાઈના નામે જીરો છે. રસ્તાઓમાં ખાડા પડેલા છે. વરસાદ દરમિયાન અતિશય ગંદકી છે. ત્યારે આ તમામ મુદ્દે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share