કાંકરેજમાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર

Share

કાંકરેજ તાલુકાના મોટા જામપુરની મુખ્ય નર્મદા કેનાલમાંથી રવિવારે એક અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે તાત્કાલીક શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

[google_ad]

સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કઢાઇ હતી. જ્યારે અજાણ્યા યુવકની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શિહોરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના મોટા જામપુરની મુખ્ય નર્મદા કેનાલમાંથી રવિવારે એક અજાણ્યા યુવકની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યારે તાત્કાલીક શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી કેનાલમાંથી લાશને બહાર કાઢીને ઓળખ વિધી શરૂ કરાઇ હતી.

Advt

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે આજુબાજુના લોકોને અજાણ્યા યુવકની લાશ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અજાણ્યા મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડાઇ હતી. ત્યારે મૃતક યુવક કયા ગામનો છે અને કેવી રીતે કેનાલમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

 

[google_ad]

જ્યારે યુવકની હત્યા થઇ છે કે આત્મહત્યા કરી છે તેને લઇ અનેક રહસ્ય અકબંધ છે. યુવકે ક્યા કારણોસર ઝંપલાવ્યું છે કે લાશને કેનાલમાં ફેંકી દીધી તે અંગે રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. જ્યારે યુવકની મોડે સુધી ઓળખ થઇ નથી. આ અંગે શિહોરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share