બનાસકાંઠા જીલ્લામાં સોમવારે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ભારત સરકાર દ્વારા હોલમાર્કને લઇ નક્કી કરવામાં આવેલા નિયમના વિરોધમાં બંધ પાળીને સરકાર દ્વારા આ કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.
[google_ad]
તાજેતરમાં ભારત સરકાર દ્વારા સોનાના હોલમાર્કમાં 6 અક્ષરનો એચ.યુ.આઈ.ડી. કોડ મુકવાના લેવાયેલા નિર્ણયને લઇ સુવર્ણકાર એસોસિયેશનમાં નારાજગી જોવા મળી રહી છે.
[google_ad]
સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, કોરોના કાળને પગલે ધંધા રોજગાર પર માઠી અસર પડી છે અને તેવામાં સરકાર દ્વારા લદાયેલા આ નિયમને પગલે વેપારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે.
[google_ad]
વેપારીઓ જણાવી રહ્યા છે કે, દાગીનાના હોલમાર્ક કરવામાં જ આઠેક દિવસ જેટલો સમય વીતી જાય છે અને આ નિયમને પગલે સોના-ચાંદીના ધંધા રોજગાર ભાંગી પડશે અને તેનાથી બેકારીમાં વધારો થશે.
From – Banaskantha Update