થરાદ તાલુકાના માંગરોળ ગામે પ્રેમી પંખીડાએ ગળે ફાંશો ખાઈ કરી આત્મહત્યા

Share

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ અને દાંતિયા ગામની તળાવની પાળે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ પોલીસ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે એમાંય ખાસ કરીને વાત કરવામાં બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં રોજબરોજ આત્મહત્યા તમે હત્યાના બનાવ સામે આવતા હોય છે.

[google_ad]

ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે થરાદ તાલુકાના માંગરોળ અને દાંતિયા ગામની સીમમાં તળાવની પાળે પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

[google_ad]

તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારી થરાદ પીએમ અર્થે ખસેડાઇ હતી. આત્મહત્યા કરનાર ઠાકોર સમાજની દીકરી તેમજ દલિત સમાજનો છોકરો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પરંતુ પ્રેમી પંખીડાની લાશને થરાદ પીએમ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share