મજાદર ગામમાં સ્મશાનમાંથી બિનવારસી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર

Share

વડગામ તાલુકાના મજાદર ગામે પ્રાથમિક શાળા નંબર -1 ના પાછળના ભાગે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં એક લાશ પડી હોવાના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગામના સરપંચ સહીત ગામના લોકોના ટોળેટોળાં સ્મશાન ખાતે દોડી આવ્યા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, મજાદર સરપંચ દ્વારા છાપી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી જેમાં તપાસ કરતાં ઈસમની કોઈ ઓળખ થઈ ન હતી.

[google_ad]

મૃત્યુ પામનાર ઈસમ આશરે 40 વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ લાશને જોતાં એક બે દિવસથી લાશ પડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ હત્યા કે આત્મહત્યા એતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પોલીસ દ્વારા લાશને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

From – Banaskantha Update


Share