બેણપથી બે માસ પહેલાં ગુમ યુવકની સાળાએ હત્યા કરી લાશ સગેવગેમાં બે શખ્સોની અટકાયત કરાઇ

Share

સૂઇગામ તાલુકાના બેણપ ગામની સીમમાં ભાગેથી ખેતી કરતાં પરિવારો યુવક બે માસ અગાઉ ભાભર જવાનું કહી નીકળ્યો હતો. જેની જારાગઢમાં રહેતાં તેના સાળાએ અગાઉ તેના ભાઇએ યુવકના બનેવીએ આપઘાત કર્યો હોવાની અદાવત રાખી હત્યા કરી લાશને સગેવગે કરી દીધી હોવાની ફરિયાદ યુવકના પિતાએ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે સૂઇગામ પોલીસે બે શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, સાંતલપુર તાલુકાના બોરૂડાના અને હાલ સૂઇગામ તાલુકાના બેણપ સીમમાં ભાગેથી ખેતી કરતાં જડાભાઇ હમીરભાઇ ઠાકોરનો પુત્ર દિનેશ (ઉં.વ.આ. 25) બે માસ અગાઉ ભાભર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જે પરત આવ્યો નથી. જેની સૂઇગામ તાલુકાના કાણોઠીના અને હાલ જોરાવરગઢ સીમમાં રહેતાં તેના સાળા શિવાભાઇ કાનજીભાઇ ઠાકોર અને તેના ભાઇ હીરાભાઇએ અગાઉ તેના ભાઇ આપઘાત કર્યો હતો તેની અદાવતમાં હત્યા કરી લાશને સગેવગે કરી નાખી હોવાના આક્ષેપ સાથે જડાભાઇએ સૂઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘દિનેશના લગ્ન સાટામાં કાણોઠી ગામે દિવાળીબેન સાથે થયા હતા. સામે દિનેશની બહેન રમીલાના લગ્ન કાણોઠી ગામે ખેંગારભાઇ કાનજીભાઇ ઠાકોર સાથે કર્યાં હતા. જો કે, ચાર વર્ષ અગાઉ ખેંગારભાઇએ તેમની સાસરીમાં જ્યાં દિનેશભાઇ અને તેમના પિતા ભાગથી ખેતી કરતા હતા. ત્યાં નવાપુરા ગામની સીમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેની અદાવત રાખી સાળાએ તેની હત્યા કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.’

[google_ad]

Advt

દિનેશ ગુમ થયા પછી પરિવારજનોએ શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે, ‘તે તેના સાળા શિવાભાઇના ખેતરે રૂપિયા લેવા માટે ગયો હતો. જ્યાં શિવાભાઇએ ચા પીવડાવી ત્રણ વાગ્યાના સુમારે રવાના કર્યો હતો.’ આ અંગે સૂઇગામ પોલીસે બે શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share