ડીસામાં અંગદાન જાગૃતિ માટે સાઇકલ યાત્રા યોજાઇ

Share

તા. 13 ઓગષ્ટ એટલે કે અંગદાન દિવસ આ દિવસે અંગની જરૂરીયાતવાળા દર્દીઓને અંગદાન કરી લોકોની જીંદગી બચાવી શકાય તેમ છે. જેમાં દિલીપભાઇ દેશમુખ દ્વારા અંગદાન અભિયાન સમગ્ર ગુજરાતમાં હાથ ધર્યું છે.

[google_ad]

ત્યારે શુક્રવારે અંગદાનની જાગૃતિ માટે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી દ્વારા 50 થી વધુ સાઇકલીસ્ટો દ્વારા અંગદાન ડોનેટ કરવા લોકોમાં જાગૃતિ લાવવા માટે જાહેર માર્ગો પર 50 થી વધુ સાઇકલ યાત્રિકોએ સાઇકલ આગળ અંગદાન ડોનેટના પોસ્ટર લગાડી અને જાગૃતિના સ્લોગન સાથે જાહેર માર્ગો પર સાઇકલ યાત્રા ફરી લોકોમાં જાગૃતિ લાવવાનો અભિયાન હાથ ધર્યું છે.

 

From – Banaskantha Update


Share