કાંકરેજ તાલુકાના ખારીયા ગામના યુવકની બુધવારની મોડી સાંજે ખારીયા બનાસ નદીના પટમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા.
[google_ad]
આ ઘટનાની જાણ થરા પોલીસને કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે થરા પોલીસે મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડી હતી.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના ખારીયા ગામના સોમપુરી લહેરપુરી ગૌસ્વામી (ઉં.વ.આ.૪૮) ની બુધવારની મોડી સાંજે ખારીયા ગામના ચામુંડા માતાજીના મંદિર નજીક બનાસ નદીના પટમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી કોઇ અજાણ્યા શખ્સો ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી.
[google_ad]
આ અંગેની જાણ થરા પોલીસને થતાં પી.એસ.આઇ. એમ. બી. દેવડા સહીતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી નદીમાંથી લાશનો કબ્જા મેળવ્યો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડાઇ હતી. આ અંગે થરા પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
[google_ad]
From-Banaskantha update