પાટણમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ હાંસલ કરનારના આશ્રમને રુ.11 લાખનુ દાન કરવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાઇ

Share

પાટણના નોરતા ગામનાં સંત નરભેરામ આશ્રમ ખાતેના સંત દોલતરામ બાપુને કોરોના મહામારીમાં કરાયેલી નિસ્વાર્થ લોક સેવાઓની સાથે સાથે દરેક સમાજમાં વ્યસનમુક્તિ જેવા સેવાકીય કાર્યોને લઇ લંડનની સંસ્થા દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામા આવ્યું હતું, જે બાબતને લઈને શુક્રવારના મોડી સાંજે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અને આગેવાનોએ આશ્રમની મુલાકાત લીધી હતી અને રૂ. 11 લાખનું દાન કરવાની ઘોષણા કરી હતી.

[google_ad]

સંતદોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવવા કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો સહિત કાર્યકરોએ નોરતા નરભેરામ આશ્રમ ખાતે પધારી સંત દોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવી તેઓની સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કાર્યરત રહે તેવી ઉમદા ભાવના સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો,

[google_ad]

ઉતર ગુજરાતનાં ધારાસભ્યો સહિતના કોંગ્રેસીઓના સહકારથી રૂ.11 લાખ 11 અગિયાર હજાર એક સો અગિયારનું દાન બાપુને અર્પણ કરવાની ઘોષણા કરવામાં આવતાં ઉપસ્થિત સૌ કોઈએ આ ધોષણાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

From – Banaskantha Update


Share