સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળ માટે 500 કરોડની જાહેરાત કરી છે પરંતુ આજ દિન સુધી ગૌશાળા પાંજરાપોળને એક પણ રૂપિયાની સહાય ન આપતા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેને લઈને ગૌશાળા પાંજરાપોળના સંચાલકો 24 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા કરેલી જાહેરાતનું પાલન ન થતા આજે થરાદમાં ગૌશાળા પાંજરાપોળને સહાય માટે કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજી હતી.
સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌશાળા તેમજ પાંજરાપોળને બજેટમાં 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી ગૌશાળા તેમજ પાંજરાપોળને એક પણ રૂપિયાની સહાય ના ચૂકવતા ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ કોઈ જ નિરાકરણ ન આવતા થોડા દિવસ અગાઉ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ડીસા ખાતે બેઠક યોજી હતી.
તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ જિલ્લા કલેકટરને આયોજનપત્ર આપી સરકાર તાત્કાલિક સહાય ચૂકવે કેવી રજૂઆત કરી હતી અને 24 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો સરકાર 24 તારીખ સુધી ગૌશાળા પાંજરાપોળને 500 કરોડની જે સહાયની જાહેરાત કરી હતી તે નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તે બાદ આજે થરાદ ખાતે ગૌશાળા પાંજરાપોળને સહાય માટે કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલી સહાયની રકમ 500 કરોડ તાત્કાલિક આપવામાં આવે તેમ જ જો સહાયની રકમ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
From – Banaskantha Update