સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા સગીરાનો ગર્ભપાત કરવા હાઇકોર્ટમાં રીટ કરાઇ
દુષ્કર્મનો ભોગ બનેલી મૂક સગીરાનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રીટ કરાઇ છે. તે દરમિયાન બુધવારે હાઇકોર્ટે આ કેસમાં સગીરાના મેડીકલ રીપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો. જેના અભ્યાસ બાદ ગર્ભપાત કરાવવો કે કેમ તે અંગેનો હુકમ કરવામાં આવનાર છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના જલારામ મંદિરના ઓટલા ઉપર રહેતી મૂક સગર્ભા સગીરા અને તેની માતાને બનાસકાંઠા 181 અભયમની ટીમ દ્વારા પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં મૂકાઇ હતી.
જ્યાંથી સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે દરમિયાન સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા સગીરાના 7 માસનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રીટ કરાઇ છે.
આ રીટ કેસના પાલનપુરના વકીલ મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘સગીરાને બાળક અવતરે તે પહેલાં તેનો ગર્ભપાત કરવા માટે હાઇકોર્ટમાં કરાયેલી રીટમાં ન્યાયાધીશે બુધવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી સગીરાના મેડીકલ સહીતના રીપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો છે.
પાલનપુરના મનોજભાઇ ઉપાધ્યાય ગુજરાત હાઇકોર્ટના પણ વકીલ છે. જેઓ આ મૂક સગીરાને ન્યાય મળે તે માટે વિનામૂલ્યે તેનો કેસ હાઇકોર્ટમાં લડી રહ્યા છે. છેલ્લો ચૂકાદો ન આવે ત્યાં સુધી ફી નહી લે તેમ તેમણે જણાવ્યું હતું.
From-Banaskantha update