અમીરગઢના સોનવાડી અને ઇશ્વાણી વચ્ચેનો રોડ ધોવાઈ જતા બંને ગામો સંપર્ક વિહોણા બન્યા

- Advertisement -
Share

અમીરગઢના સોનવાડી અને ઈશ્વાણી જતો રસ્તો વરસાદના લીધે ધોવાઈ જતા બંને ગામો ઉપરાંત અનેક ગામોની અવર જવર માટે હાલાકીઓ પડી રહી છે.

[google_ad]

[google_ad]

અમીરગઢ તાલુકાના હજી એવા અનેક ગામડાઓ આવેલ છે જે દેશને આઝાદ થયાને વર્સો થાય હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગુલામીનો અહેસાસ મેહસૂસ કરી રહ્યા છે. ગામડાઓમાં રસ્તા અને પાણીની સમસ્યા વકરેલ હોવાથી લોકો હેરાન થઈ ગયેલ છે.

[google_ad]

[google_ad]

જેમાંથી મુખ્યત્વે સોનવાડી અને ઇશ્વાનિને જોડતો રસ્તો આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહેલ છે આ રસ્તા પર એક વો હલું આવેલ છે જે દરેક વરસાદમાં તૂટી જતા રસ્તો બંધ થાય છે. હાલમાં એક મહિના પહેલા પડેલ પ્રથમ વરસાદમાં આ નાળું ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો.

[google_ad]

[google_ad]

જેથી સેવાભાવીઓ દ્વારા ફરીથી રસ્તો રિપેર કરવામાં આવેલ હતો પરંતુ એક વાર ફરી એક ઇંચ વરસાદ થતાં ફરીથી રસ્તો તૂટી ગયેલ છે અને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

[google_ad]

[google_ad]

રસ્તો બાંધ થતાં 108 જેવી સેવાઓ પણ ખોરંભે પડી છે અને આ રસ્તેથી ચાલતા લોકો હાલાકીઓ ભોગવી રહ્યા છે વારંવાર તાલુકા કક્ષાએ ઢોલ નગારા પીટી રજૂઆત કરવા છતાં પરિણામ આવેલ નથી તો જવાબદાર તંત્ર ગરીબ અને પછાત આદિવાસી વિસ્તારમાં આ રસ્તો ઝડપીથી બનાવે તેવી લોક માંગ ઉઠેલ છે.

[google_ad]

 

[google_ad]

 

[google_ad]

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!